Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

                                           

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા.

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી.

જ્ઞાનકુંજ પરિચય

જ્ઞાનકુંજ એ ટેક્નોલોજી ટૂલ્સની મદદથી વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા અને શિક્ષણ-અધ્યયન પ્રક્રિયાને વધારવા માટેનો શાળા ડિજિટાઇઝેશન પ્રોગ્રામ છે. તેનો હેતુ સૉફટવેર અને હાર્ડવેરને સમાવિષ્ટ ઇન્ટરેક્ટિવ સિસ્ટમની મદદથી સ્કૂલ ડિજિટાઇઝેશન દ્વારા શિક્ષણ-અધ્યયન અને મૂલ્યાંકનને મજબૂત બનાવવાનો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં અમલમાં મુકવામાં આવશે.

ઉદ્દેશ્ય

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અધ્યયન પ્રક્રિયામાં પ્રગતિ દ્વારા વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયાને.

વપારવા માટે ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણ, અધ્યયન અને મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવી.

માધ્યમ તરીકે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ગખંડમાં જ અભ્યાસક્રમના દરેક એકમને સમજવામાં સરળતા માટે.

આ મોડેલ હેઠળ વર્ગખંડમાં જરૂરી સુવિધાઓ:

મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પેકેજ શાળાની સ્થાનિક પરિસ્થિતિઓ અને વપરાશ સ્તર અને ઓપરેશનલ સંદર્ભને ધ્યાનમાં લઈને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ મોડેલ હેઠળ, શાળાના વર્ગોમાં નીચે મુજબની સુવિધાઓ હશે.

ઇન્ટરેક્ટિવ પેનલ

લેપટોપ

ઇન્ટરેક્ટિવ પેનલ માટે જરૂરી વીજળીકરણ

ઉપરોક્ત સુવિધાઓના સંકલિત ઉપયોગ દ્વારા સરકારી શાળાખોમાં શિક્ષકો નીચેના કાર્યો કરી શકશે.

સૂચિત ઉકેલને એકીકૃત કરીને શિક્ષણ કાર્યને અરસપરસ બનાવવામાં આવે છે.

શિક્ષકો અભ્યાસક્રમની ઉન્નત ડિલિવરી માટે તમામ શિક્ષણશાસ્ત્રની યુક્તિઓ (કરો. વ્યાખ્યા ડેમો મૂલ્યાંકન) નો અમલ કરી શકશે.

ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ બેજ્યુકેશન (GCSE) દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઈ-સામગ્રીનો ઉપયોગ અને ઈ-ક્લાસ પ્રોજેકટ હેઠળ વિડિયો કન્ટેન્ટ ટેલિકાસ્ટ; શિક્ષકો-વિધાર્થીઓના આરામદાયક સ્તરે.

તમામ શૈક્ષણિક સામગ્રીઓ, ફ્રીવેર ઓપન સોર્સ સંસાધનો ઓનલાઈન સંસાધનો, શિક્ષકો દ્વારા બનાવેલ / તૈયાર કરેલ ઈ-કન્ટેન્ટ વગેરેના ઉપયોગનું અન્વેષણ કરવું.

ઈ-સામગ્રી, ઑડિઓ વિઝ્યુઅલ્સ, ડિજિટલ પાઠ્યપુસ્તકો દ્વારા શૈક્ષણિક વિતરણ જે ઑફલાઇન (સ્થાનિક હોસ્ટ), ઑનલાઇન (ક્લાઉડ આધારિત) તેમજ સ્થાનિક લેપટોપ પર ઍક્સેસ કરી શકાય.

ઉકેલ વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી ચાલતા જ્ઞાન સાથે અભ્યાસક્રમને શીખવા અને સમજવા માટે આકર્ષિત કરશે. આ સોલ્યુશન શિક્ષકોને પેનલ પર વિડિયો પ્રવચનો રેકોર્ડ કરીને બાળકોની જરૂરિયાત મુજબ.

ઓનલાઈન સંસાધનો તૈયાર કરીને સીમલેસ સોલ્યુશનનો ઉપયોગ કરવા માટે પણ આકર્ષિત કરશે. દરેક વ્યક્તિના શિક્ષણ સ્તરને હાંસલ કરવા માટે બાળકોની જરૂરિયાતને સંબોધવા માટે શૈક્ષણિક વિતરણ માટે નવીનતાઓ કરવા શિક્ષકોને પ્રેરણા આપવી. જેવી બાબતોનો સમાવેશ થાય છે.


આ શૈક્ષણિક તાલીમની  જિલ્લા એમ.આઇ.એસ. કો-ઓર્ડીનેટર તુષારભાઈ પટેલ સાહેબ દ્વારા તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી. 

ખેરગામ બી.આર.સી. વિજયભાઈ, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ સહિત ૬૮ જ્ઞાનકુંજ તાલીમાર્થીઓ જોડાયા હતા. 

Comments

Popular posts from this blog

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

  પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્ર

પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા

 પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા  કોઈપણ વ્યક્તિ જ્યારે શ્રઢ મનોબળથી નક્કી ક કરે કે આનો અમલ કરીને જ જંપવું છે. ત તે થાય જ છે. એમાં પણ જ્યારે શક્તિની ઉપાસના કે એના નામ સાથે જોડાઈને વળગી પડે ત્યારે એ 'શક્તિ સદા સહાયતે' હોય જ છે. ભગવતી એ જ સંતાનને સહાય કરે જે પવિત્ર ઇરાદાથી કામ શરૂ કર. કોઇની પરવા કર્યા વિના જે સાથ આપે તેનો લે અને જે ન આપે તેની પાસે આશા ન રાખે એ કામ ભગવતી પાર પાડે જ. એના ભરોસે આદરેલું કામ ક્યારેય અધૂરું ન રહે. માંડવી તાલુકાના દરિયાકિનારે વસેલા કાઠડા, નાના લાયજા અને પાંચોટિયા આ ત્રણે ગામ ચારણોની વસ્તી ધરાવતાં ગામ છે. ખારા પાણી અને ખારી હવા સામે ખરી મહેનત કરીને ખમતીધર બનેલા ચારણ ચોથો વેદ એટલે વણ પઢ્યો વાતું તો સંસ્કાર, સંસ્કૃતિ અને વિકાસની જ કરે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન કસાયેલી કાયાએ પાણી માટે ખૂબ સંઘર્ષ કર્યો. સદ્ભાગ્યે આ ત્રણે ગામને યુવા નેતૃત્વ સાથે સાથ આપનારા વડીલો અને ખભેખભા મેળવીને કામ કરનારા મિત્રો મળ્યા, જેના લીધે જળ સંગ્રહ, ગૌચર અને વૃક્ષારોપણની ટકાઉ, ધારદાર અને એટલી જ અસરદાર કામગીરી લોકભાગીદારીથી કરવામાં સફળ રહ્યા. પાંચોટિયા ગામના સામ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav) May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv #ChunavKaParv pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari) May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSabhaElection2024