Skip to main content

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

   વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...

પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા

 પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા


 કોઈપણ વ્યક્તિ જ્યારે શ્રઢ મનોબળથી નક્કી ક કરે કે આનો અમલ કરીને જ જંપવું છે. ત તે થાય જ છે. એમાં પણ જ્યારે શક્તિની ઉપાસના કે એના નામ સાથે જોડાઈને વળગી પડે ત્યારે એ 'શક્તિ સદા સહાયતે' હોય જ છે. ભગવતી એ જ સંતાનને સહાય કરે જે પવિત્ર ઇરાદાથી કામ શરૂ કર. કોઇની પરવા કર્યા વિના જે સાથ આપે તેનો લે અને જે ન આપે તેની પાસે આશા ન રાખે એ કામ ભગવતી પાર પાડે જ. એના ભરોસે આદરેલું કામ ક્યારેય અધૂરું ન રહે.

માંડવી તાલુકાના દરિયાકિનારે વસેલા કાઠડા, નાના લાયજા અને પાંચોટિયા આ ત્રણે ગામ ચારણોની વસ્તી ધરાવતાં ગામ છે. ખારા પાણી અને ખારી હવા સામે ખરી મહેનત કરીને ખમતીધર બનેલા ચારણ ચોથો વેદ એટલે વણ પઢ્યો વાતું તો સંસ્કાર, સંસ્કૃતિ અને વિકાસની જ કરે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન કસાયેલી કાયાએ પાણી માટે ખૂબ સંઘર્ષ કર્યો.

સદ્ભાગ્યે આ ત્રણે ગામને યુવા નેતૃત્વ સાથે સાથ આપનારા વડીલો અને ખભેખભા મેળવીને કામ કરનારા મિત્રો મળ્યા, જેના લીધે જળ સંગ્રહ, ગૌચર અને વૃક્ષારોપણની ટકાઉ, ધારદાર અને એટલી જ અસરદાર કામગીરી લોકભાગીદારીથી કરવામાં સફળ રહ્યા. પાંચોટિયા ગામના સામતભાઈ કાયાભાઈ ગઢવી અને ખીમરાજભાઈ ભીમશીભાઈ કારીયાએ જ્યારે ગામની ધુરા સંભાળી તે સમયે ૨૦૧૯માં સરકાર દ્વારા દરિયાકાંઠાનાં ગામો માટે ક્ષાર નિયંત્રણ યોજના હેઠળ ૧૧૪ લાખના ખર્ચે ત્રણ મોટા આડબંધ બનાવેલા, જેમાં રિચાર્જ બોરવેલ પણ બનાવ્યા. તે ગામને માટે ખૂબ ઉપયોગી સાબિત થયા.

આઈ સોનલનાં સંતાનોએ ભેઠ બાંધીને પાણી માટે માની જન્મ શતાબ્દી વર્ષે વિવિધ સ્થળે પાંચ સરોવર બનાવેલા, જેમાં સોનલ સરોવર-૧ અને ૨, કેશવ સાગર, ગોકળસર અને કોટેશ્વર સરોવર બનાવીને ગામની ચારે બાજુ એક વિશાળ પાણીનો જથ્થો દરિયામાં જતો અટકાવીને ભાગીરથી કાર્ય કર્યું. જેમાં દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકભાગીદારીમાં ગામ લોકોએ રૂપિયા ૨૦,૦૦,૦૦૦થી પણ વધારે ઘરદીઠ પોતાની યથાશક્તિ ફાળો આપી ઊભી કરી.

એક ખોબા જેવડા ગામે હનુમાન છલાંગ જેવું કામ કર્યું. કેશવ સાગર માટે ગામના જ કેશવભાઈ કરશનભાઈ ભુવાએ પોતાની મહામૂલી પાંચ એકર જમીનનું ભૂમિદાન કરીને એમાં કેશવ સાગર બનાવ્યો. આજે જમીન માટે સૌ કાવા-દાવા, કેસ-કબાલા, સરકારી કે ગૌચર જમીન દબાણ કરનારને મૂંગી ટકોર જેવું કામ કર્યું છે.

ચારણોએ સદાય ગાયોનું હિત જોયું છે. તેમાં આ ગામે ૩૫૦ એકર ગૌચરમાં એક ઇંચ જમીન પણ દબાણ કર્યા વિના ગુજરાત ઇકોલોજી કમિશનના સહયોગથી ૭૦ એકર જમીનને બાવળમુક્ત કરી તેમાં ૨૫ એકર જમીનમાં જુવારનું વાવેતર કરી દર વર્ષે રરથી ૨૫ ગાડી ચારો પેદા કરી ઘાસચારા બાબતે આત્મનિર્ભર બન્યું છે. ઘાસચારો બહારથી ખરીદતા નથી. ગામનો ચારો ગામમાંથી જ પેદા કરી લે છે. તાજેતરમાં સુવિધાસભર ગૌશાળા ઊભી કરી છે. સાચા અર્થમાં ગૌપ્રેમી અને ગૌરક્ષક ગામ બન્યું.

ચારે બાજુથી ગાંડા બાવળથી ઘેરાયેલા આ ગામે મીઠા ઝાડને ઉછેરવા માટે સીતારામ મઢી બનાવી, જેમાં આલાભાઈ જેઠાભાઈએ પોતાની જવાબદારી સ્વીકારી ત્રણ એકર જેટલી જમીનમાં ૪૦ પ્રકારનાં વૃક્ષો ઉછેર્યાં કે જેમાંથી પક્ષીઓને પોતાનો ખોરાક મળે એવી એક મૌન અને શીતળ સંતોની વાડી ઊભી કરી છે.

આ સીતારામ મઢીમાં અવિરત સત્સંગ, ભજનભાવ થતા રહે. મોટી વાત એ છે કે આલાભાઈ પોતાને સરકાર તરફથી મળતાં ૧૦૦૦ રૂપિયા પણ આ વૃક્ષો પાછળ ખર્ચે છે. પક્ષી માટે ચણ, પાણીની વ્યવસ્થા કરી છે. કામમાં નિસ્વાર્થભાવ ભળે એટલે એ કર્મયોગ બની જાય ત્યારે કુદરત તેને તનની તાકાત, મનની મક્કમતા અને ધનની વ્યવસ્થા કરી જ આપે પણ આ સેવા યજ્ઞને અવિરત ચાલુ રાખવા સૌએ દિલથી દિવેલ પૂરવું ખૂબ જરૂરી છે.

Post credit : Divya Bhaskar news ગ્રામોત્થાન (માવજી બારૈયા)

Comments

Popular posts from this blog

ખેરગામના વાત્સલ્યમ્ ન્યૂઝ અને honey news નાં પત્રકારશ્રી દિપકભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

ખેરગામના  વાત્સલ્યમ્ ન્યૂઝ અને honey news નાં પત્રકારશ્રી દિપકભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 

Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

                    Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તારીખ ૧૧-૦૩-૨૦૨૪નાં દિને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે ચિખલી અને ખેરગામ વિસ્તારની વિવિધ શાળાઓના ૪૫૦થી વધુ  વિદ્યાર્થીઓને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પોતે પરીક્ષા સ્થળ પર ઉપસ્થિત રહી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

 ઐતિહાસિક ડુંગર  : પારનેરા, વલસાડ, ગુજરાત  પારનેરા એ ઐતિહાસિક ટેકરી છે જે વલસાડ નજીક અતુલમાં આવેલી છે. પારનેરા ટેકરી ઐતિહાસિક કિલ્લા અને ઐતિહાસિક મંદિર માટે પ્રખ્યાત છે. - પારનેરા ટેકરી તેના ઇતિહાસ માટે પણ પ્રખ્યાત છે જે મહારાજા શિવાજી સાથે સંબંધિત છે. પારનેરા ટેકરી સંપૂર્ણ રીતે હરિયાળીથી ભરેલી છે. -વલસાડથી પારનેરા ટેકરીનું અંતર લગભગ 7 કિમી છે. - અહીં પ્રખ્યાત કાલિકા માતા મંદિર અને ચંડિકા માતા મંદિર છે. ભગવાન શિવનું મંદિર પણ પારનેરા ટેકરી પર આવેલું છે. -પારનેરા ડુંગરમાં પણ ધર્મનો અનોખો સમન્વય છે. -કારણ કે ચંડિકા માતાના મંદિર પાસે એક પીર પણ આવેલું છે. તે ચાંદ પીર બાબાના પીર છે. ઐતિહાસિક કિલ્લો પારનેરા ટેકરી પર આવેલો છે. -ઈતિહાસ કહે છે કે પારનેરા કિલ્લો મહારાજા શિવાજીએ દુશ્મનો સામે લડવા માટે બનાવ્યો હતો લોકોનું કહેવું છે કે મહારાજા શિવાજીએ પોતાના ઘોડા સાથે આ કિલ્લા પરથી કૂદકો માર્યો હતો. -પારનેરા ટેકરી ચોમાસામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. - તે ટેકરીની આસપાસ રહેતા લોકો માટે મોર્નિંગ વોક માટેનું સ્થળ છે. પારનેરા ડુંગર એક સારું ટ્રેકિંગ સ્થળ છે. -અતુલ લિમિટેડ પારનેરા ટે...