Skip to main content

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

   વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

  Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન


ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું.

આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા. 

કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મંજુર કર્યા હતા. 

બેઠકના અધ્યક્ષ તરફથી યુવાનોને ગામ કમિટી બનાવી આવા દુષણને નાથવાનો દોર હાથમાં લેવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સુમન રાવત, ખંડુ માહલા અને મહેશ ગાયકવાડ, કાર્યક્રમનું સંચાલન પ્રમોદ દેશમુખ અને સન્મુખભાઈએ કર્યું હતું, આભાર વિધિ મનોજ ગાવિતે કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નવનીત ચૌધરી, મંત્રી ઈશ્વર ચૌધરી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સોમ ગાવિત તથા કારોબારી સભ્યો અને વડીલોએ જહેમત ઉઠાવી હતી.

લગ્નપ્રસંગોમાં રાત્રિ ભોજનને બદલે દિવસે જમણવાર, આદિવાસી પરંપરા  મુજબ લગ્ન થાય તો પ્રોત્સાહિત ઈનામ આપવા સહિત ૧૫ ઠરાવ મંજૂર કરાયા.

Comments

Popular posts from this blog

ન્યૂઝીલેન્ડની શિક્ષણ વ્યવસ્થા

 ન્યૂઝીલેન્ડની શિક્ષણ વ્યવસ્થા  ન્યૂઝીલેન્ડ શિક્ષણ વ્યવસ્થાની દ્રષ્ટિએ દુનિયામાં સાતમા નંબરે છે. અહીં સાક્ષરતાનો દ [ સાક્ષરતાનો દર 99 ટકા છે. આમ છતાં 14.2 ટકા પાસે જ સ્નાતક કે ઉચ્ચ શિક્ષણની લાયકાત છે. સૌથી વધારે 30.4 ટકા સેકન્ડરી શિક્ષણ મેળવે છે. 22.4 ટકા પાસે શિક્ષણની કોઈ જ ઔપચારિક લાયકાત નથી. એટલે કે સેકન્ડરી શિક્ષણ કરતાં પણ ઓછું શિક્ષણ છે. અહીં શાળા શિક્ષણ મફત અને ફરજીયાત છે.  ન્યૂઝીલેન્ડમાં 95 ટકા જેટલી શાળાઓ સરકારી છે. માત્ર 5 ટકા જેટલી જ ખાનગી છે. દરેક વિસ્તારમાં સરકારી શાળા હોય જ. જે તે વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ તે જ વિસ્તારની શાળામાં અભ્યાસ કરવો ફરજીયાત છે. તમે રહેતા હોવ એક વિસ્તારમાં અને અભ્યાસ કરવો હોય અન્ય વિસ્તારમાં તો તેમ કરી શકતા નથી.અહીં દરેક શાળાને જે તે વિસ્તારની આર્થિક આવકને આધારે રેટિંગ આપવામાં આવે છે. જે શાળા ધનિક વિસ્તારમાં હોય તેનું રેટિંગ ઊંચું હોય છે અને જેમ આર્થિક રીતે નબળો વિસ્તાર વધુ તેમ રેટિંગ નીચું હોય છે, પણ આપણે શીખવા જેવી બાબત એ છે કે અહીં ધનિક વિસ્તારમાં આવેલી શાળા કે જેનું રેટિંગ ઊંચું છે તેને સરકારી સહાય ગ્રાન્ટ ઓછી ફાળવવામાં આવે છે...

ખેરગામના વાત્સલ્યમ્ ન્યૂઝ અને honey news નાં પત્રકારશ્રી દિપકભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

ખેરગામના  વાત્સલ્યમ્ ન્યૂઝ અને honey news નાં પત્રકારશ્રી દિપકભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                                                                   Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર...